Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (230.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 07/06/2018
બેંકિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 - સેક્શન 26 એ
ડિપોઝિટર શિક્ષણ અને જાગૃતિ ફંડ યોજના, 2014 -
ઓપરેશનલ માર્ગદર્શિકા - વ્યાજની ચુકવણી

આરબીઆઇ/2017-2018/191
ડીબીઆર.ડીઇએ ફંડ સેલ.બીસી.નં.110/30.01.002/2017-18

જૂન 07, 2018

મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ / ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ,
તમામ અનુસૂચિત કોમર્શિયલ બેંકો (આરઆરબી સહિત) /
સ્થાનિક વિસ્તારની બેંકો (એલ.એ.બી.)/શહેરી સહકારી બૅન્કો/રાજ્ય સહકારી બૅન્કો/જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો નાની નાણાં બૅંકો/ચુકવણી બેંકો

પ્રિય મહોદય / મહોદયા,

બેંકિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 - સેક્શન 26 એ
ડિપોઝિટર શિક્ષણ અને જાગૃતિ ફંડ યોજના, 2014 -
ઓપરેશનલ માર્ગદર્શિકા - વ્યાજની ચુકવણી

કૃપા કરીને ઉપરોક્ત વિષય પરના 26 જૂન, 2014 ના પરિપત્ર ડીબીઓડી.નં.ડીઇએ. ફંડ સેલ.બીસી.126/30.01.002/2013-14 નો સંદર્ભ લો જેમાં રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે DEA ફંડમાં તબદીલ કરાયેલી, દાવા કર્યા વગરની વ્યાજ ધરાવતી થાપણની રકમ પર થાપણદારો / દાવેદારોને બેન્કો દ્વારા ચૂકવવાપાત્ર વ્યાજ દર બીજી સૂચના ના અપાય ત્યાં સુધી વાર્ષિક 4% સાધારણ વ્યાજ દર રહેશે.

2. હવે વ્યાજના દરની સમીક્ષા કરવામાં આવી છે અને એ નક્કી કરવામાં આવ્યું છે કે જુલાઇ 01, 2018 થી અમલમાં, ફંડમાં તબદીલ કરાયેલી દાવા કર્યા વગરની વ્યાજ ધરાવતી થાપણની રકમ પર થાપણદારો / દાવેદારોને બેન્કો દ્વારા ચૂકવવાપાત્ર વ્યાજ દર બીજી સૂચના ના અપાય ત્યાં સુધી વાર્ષિક 3.5% સાધારણ વ્યાજ રહેશે. 01 જુલાઈ, 2018 ના રોજ અથવા ત્યાર પછી બેંકો દ્વારા મેળવવામાં આવેલા તમામ દાવાઓની પતાવટ, બીજી સૂચના ના અપાય ત્યાં સુધી, આ દર પર રહેશે.

3. જૂન 26, 2014 ના પરિપત્રની અન્ય સમાવિષ્ટ બાબતો યથાવત રહેશે.

આપનો વિશ્વાસુ,

(પ્રકાશ બલીઆરસિંહ)
મુખ્ય મહા પ્રબંધક

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×