| નાની બચત યોજનાઓ માટે વ્યાજ દરો |
આરબીઆઇ/2017-18/160
DGBA.GBD.નં.2573/15.02.005/2017-18
એપ્રિલ 12, 2018
ચેરમેન / ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર
નાની બચત યોજનાઓ ચલાવનારી એજન્સી બેંકો
માનનીય શ્રી
નાની બચત યોજનાઓ માટે વ્યાજ દરો
કૃપા કરીને ઉપરોક્ત વિષય પર 11 જાન્યુઆરી, 2018 ના અમારા પરિપત્ર DGBA.GBD.1781/15.02.005/2017-18 નો સંદર્ભ જુઓ. ભારત સરકારે, તારીખ 28 માર્ચ, 2018 ના તેમના કાર્યાલય મેમોરેન્ડમ (ઓએમ) નંબર એફ નં .01/04/2016-એનએસ, મુજબ જણાવેલ છે કે 1 લી એપ્રિલ, 2018 થી શરુ થતા નાણાકીય વર્ષ 2018-19 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના નાની બચત યોજનાઓ (નોટ સાથે જોડેલ છે) પરના વ્યાજ દર, નાણાકીય વર્ષ 2017-2018 ના ચોથા ત્રિમાસિક માટેના સૂચિત વ્યાજ દરથી અપરિવર્તિત રહેશે.
2. આવશ્યક કાર્યવાહી માટે આ પરિપત્રના વિષય વસ્તુને સરકારી નાની બચત યોજનાઓની કામગીરી કરતી તમારી બેંક શાખાઓના સૂચન માટે ધ્યાનમાં લાવવામાં આવે છે. આ યોજનાઓમાં ભાગ લેનારાઓની માહિતી માટે તમારી શાખાઓના નોટિસ બોર્ડ પર પણ આને પ્રદર્શિત કરવું જોઈએ.
આપનો વિશ્વાસુ
(હર્ષ વર્ધન)
પ્રબંધક
અનુ.: ઉપર પ્રમાણે |
|