RBI/2016-17/251
IDMD.CDD.No.2347/14.04.05/2016-17
16 માર્ચ, 2017
ચેરમેન / સી ઈ ઓ / મેનેજીંગ ડાયરેક્ટર
સમગ્ર અનુસુચિત વાણીજ્ય બેંકો
(સમગ્ર બેંકો જેમને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 લાગુ પડે છે.)
પ્રિય મહોદય/મહોદયા
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (PMGKDS) , 2016–સ્પસ્ટતા
કૃપયા ભારત સરકારે બહાર પડેલા “પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (PMGKDS), 2016 બાબત ના તારીખ 16 ડીસેમ્બર 2016 ના અમારા પત્ર નંબર IDMD.No.1451/08.03.16/2016-17 અને તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન No. S.O.4061(E) નું અવલોકન કરો. અમારા ધ્યાન માં આવેલ છે કે આવકવેરા સત્તા વાળા સમક્ષ અપલોડ કરતી વખતે ફોર્મ V માં દર્શાવવામાં આવતા રેફરન્સ નંબર બાબત રોકાણ કારો માં અસમંજસ પ્રવર્તે છે.
હાલમાં , PMGKDS અંતર્ગત મેળવેલ રકમ ની પ્રાપ્તિ બદલ બેંકો રસીદ આપે છે . આ થાપણો ની વિગતો ત્યારબાદ બેંક ના ઈ –કુબેર એપ્લીકેશનમાં એન્ટર કરવામાં આવે છે, જે “થાપણ ની રસીદ“ જનરેટકરેછે અને તેને “ઇસ્યુ રેફરન્સ નંબર” આપવામાં આવે છે.આ રેફરન્સ નંબર રોકાણકારે ફોર્મ V માં આવક વેરા સત્તા વાળા સમક્ષ અપલોડ કરતા પહેલા દર્શાવવાનો રહેશે.
વધુ સ્પસ્ટતાઅર્થે ઈ –કુબેર દ્વારા જનરેટ કરવામાં આવેલા “ ઇસ્યુરેફરન્સ નંબર” ને નવું નામ “ ડીપોઝીટરેફરન્સ નંબર” આપવામાં આવેલ છે. આ ફેરફાર દર્શાવવા માટે RBI ના ઈ –કુબેર એપ્લીકેશનમાં જરૂરી ફેરફારો કરવામાં આવેલ છે. આ ફેરફાર બાબત ની જાણ / માહિતી, PMGKDS સ્વીકારતી બેન્કના સ્ટાફ સભ્યોને અને PMGKDS, 2016 ના થાપણદારો ને પણ આપવામાં આવે.
આપનો વિશ્વાસુ
(એ મંગલાગીરી)
મુખ્ય મહા પ્રબંધક |