RBI/2016-17/146
DCM (Plg) No.1323/10.27.00/2016-17
21 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો /જિલ્લા
મધ્યસ્થ સહકારી બેંકો
પ્રિય મહોદય,
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- ફેરફારો
ઉપરોક્ત વિષય પર ના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No.1226 /10.27.00/2016-17 નું અવલોકન કરો.
2.સમીક્ષા ના અંતે, બેંક ખાતાઓમાંથી ઉપાડ ની મર્યાદાઓમાં કેટલાંક સુધારાઓ કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે:
(i) ખેડૂતો માટે:
ખેડૂતોને તેમના લોન (કિસાન ક્રેડીટ કાર્ડ લીમીટ સહિત) અથવા ડીપોઝીટ ખાતાઓમાંથી, તેમના ખાતાઓ પ્રવર્તમાન કેવાયસી ધોરણો માટે અનુપાલીત હોવાની શરતે, પ્રતિ સપ્તાહ રૂપિયા 25,000/- સુધી રોકડ માં ઉપાડ કરવા દેવામાં આવશે.
(ii) એ. પી. એમ. સી. બજારો / મંડીઓ સાથે નોંધાયેલા વેપારીઓ માટે:
હાલમાં, તમામ ચાલુ ખાતા ધારકોને, કેટલીક શરતોને અધિન, તેમના ચાલુ ખાતાઓ માંથી એક સપ્તાહ માં રૂપિયા 50,000/- રોકડમાં ઉપાડ કરવા દેવામાં આવે છે અને તેને (સવલતને) હવે એ. પી. એમ. સી. બજારો / મંડીઓ સાથે નોંધાયેલા વેપારીઓ માટે લંબાવવામાં આવે છે. આવા વેપારીઓને તેમના ચાલુ ખાતાઓમાંથી રૂપિયા 50,000/- સુધી ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવે છે, જો આવા ખાતાઓ પ્રવર્તમાન કે વાય સી ધોરણો માટે અનુપાલીત હોય અને છેલ્લા ત્રણ માસ કે વધુ સમય થી કાર્યરત / સક્રિય હોય.
3. કૃપયા પ્રાપ્તિ સૂચના મોકલો.
આપનો વિશ્વાસુ,
(પી. વિજયકુમાર)
મુખ્ય મહાપ્રબંધક
|