ભારિબેં/2015-2016/443
ડીસીએમ(પીઆઈજી)સં.જી-12/4297/10.27.00/2015-16
30 જૂન 2016
અધ્યક્ષ/પ્રબંધક નિદેશક/મુખ્ય કાર્યપાલક અધિકારી
બધી જ અનુસૂચિત વાણિજ્ય બેંકો
પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો /ક્ષેત્રીય ગ્રામીણ બેંકો/રાજ્ય સહકારી બેંકો/
જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકો
મહોદયા / મહોદય,
વર્ષ 2005 પહેલાની બેંકનોટ – વિનિમય સુવિધામાં સંશોધન
ઉપરોક્ત વિષય ઉપર કૃપા કરીને 23 ડિસેમ્બર 2015 નો અમારો પરિપત્ર ડીસીએમ (આયો) સ.જી-8/2331/10.27.00/2015-16 તેમજ 11 ફેબ્રુઆરી 2016 નો પરિપત્ર ડીસીએમ (આયો) સ.જી-9/2856/10.27.00/2015-16 તેમજ 23 ડિસેમ્બર 2015ની પ્રેસ વિજ્ઞપ્તિ જુઓ.
2. આપ જાણતા હશો કે જાન્યુઆરી 2014 ઉપરાંત વર્ષ 2005 પહેલાની બેંકનોટ પ્રસારણમાં થી પાછી લેવામાં આવી રહી છે તથા સતત પ્રયાસ પછી આ પ્રકારની મોટા ભાગની નોટો પાછી ખેંચી લેવામાં આવી છે. તેમ છતાં, આ નોટોમાંનો કેટલોક ભાગ હજી પ્રસારણમાં છે. સમીક્ષા કર્યા બાદ એમ નિર્ણય લેવામાં આવ્યો છે કે 2005 પહેલાની બેંકનોટોના વિનિમયનીસુવિધા કેવળ રિઝર્વ બેંકના નીચેના કાર્યાલયોમાં જ ઉપલબ્ધ રહેશે: અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મૂ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટણા અને તિરુવનંતપુરમ તથા કોચી. આ સૂચનોને તારીખ 30 જૂન 2016ની પ્રેસ વિજ્ઞપ્તિમાં પણ જણાવવામાં આવ્યા છે (પ્રતિલિપિ સંલગ્ન).
3. વર્ષ 2005 પહેલાની બધી જ નોટ વૈધ મુદ્રા તરીકે ચાલુ રહેશે.
4. આપને સૂચિત કરવામાં આવે છે કે કોઈ જનતાના માણસ આ પ્રકારની નોટોના વિનિમય માટે આપની શાખાનો સંપર્ક કરે તો કૃપા કરીને તેને યોગ્ય માર્ગદર્શન આપશો.
5. કૃપા કરીને એ પણ સુનિશ્ચિત કરશો કે આવી નોટ આપના કાઉન્ટર પરથી અથવા એટીએમના માધ્યમથી પુન:પ્રસરણમાં આવે નહીં.
6. કૃપા કરીને પ્રાપ્તિ સૂચના આપશો.
ભવદીય,
(પી. વિજયાકુમાર)
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક
|