ભારિબેં/2015-2016/360 વિસવિવિ.જીએસએસડી.કે.કા.બીસી.સં.22/09.16.03/2015-16
07 એપ્રીલ 2016
અધ્યક્ષ / પ્રબંધ નિર્દેશક સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો
પ્રિય મહોદયા / મહોદય,
દીનદયાલ અંત્યોદય યોજના (ડીએવાય) – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન
કૃપા કરીને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (National Urban Livelihood Mission - એનયૂએઁલએમ) પર 30 જુલાઈ 2015 નો માસ્ટર પરિપત્ર વિસવિવિ.જીએસએસડી.કેકા.બીસી.સં.10/09.16.03/2015-16 જૂઓ.
2. શહેરી વિસ્તારમાં ગરીબો માટે આજીવિકાની તકોમાં સુધારો લાવવાની દષ્ટિથી શહેરી ગરીબી ઉપશમન (યૂપીએ વિભાગ) મંત્રાલય, ભારત સરકારે 19 ફેબ્રુઆરી 2016 ના જ્ઞાપન સં.કે-14011/2/2012-યૂપીએ/એફટીએસ-5196 દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનો વ્યાપ વધારવા માટેનો નિર્ણય લીધો છે. વધારવામાં આવેલા વ્યાપ સાથે મિશનને “દીનદયાલ અંત્યોદય યોજના (ડીએવાય)-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન” ના રૂપમાં પુન: નામકરણ કરવામાં આવશે. એ મુજબ એનયૂએલએમ મિશનના દસ્તાવેજોમાં કરવાના સંશોધન બેંકોની જાણકારી માટે આ સાથે સંલગ્ન છે.
આપની વિશ્વાસુ,
(ઉમા શંકર) મુખ્ય મહા પ્રબંધક
બિડાણ: ઉપર મુજબ
Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×